You are Here: Home » Bhajan » Shri Krishna » આજ રે કાનુડે વ્હાલે અમશું અંતર કીધું રે
|

આજ રે કાનુડે વ્હાલે અમશું અંતર કીધું રે

Aaj re kanude vhale amashu antar kidhun re

[Total: 4 Average: 5]

આજ રે કાનુડે વ્હાલે અમશું અંતર કીધું રે (૨)
રાધિકાનો હાર હરિએ રૂકમિણીને દીધો રે……આજ રે કાનુડે

શેરીએ શેરીએ સાદ પડાવી, ઘેર ઘેર હું તો જોતી રે,
રૂકમિણીની કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે…..આજ રે કાનુડે

જાગતી તો લેવાના દેતી, કર્મ સંજોગે સુતી રે,
વેરણ નિદ્રા મુજને આવી, હરિ હરિ કરીને ઉઠીરે……આજ રે કાનુડે

રાધાજી અતિ રોષે ભરાણાં નયણે નીર ન માય રે,
આપોને હરિ હાર અમારો નહીં તો જીવડૉ જાશે રે…..આજ રે કાનુડે

થાળ ભરી શગ મોતી મંગાવ્યા, અણ વીંધ્યા પરોવ્યા રે,
ભલે મળ્યો નરસૈનો સ્વામી, રૂઠ્યા રાધાજી મનાવ્યાં રે. રૂઠયા રાધાજી મનાવ્યા….



Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *